Department
|
Rojgar Ane Talim Niyamak ni Kacheri, Block No 01, Gandhinagar
|
Name of Posts
|
Supervisor Instructor Class 3
|
No of Posts
|
1054
|
Read Ad.
| |
Website
|
Apply Online :
|
Last Date
|
25/10/2013,2.00pm to 26/11/2013m 23.59hrs
|
Remarks
|
Groups (Automobile, Chemical, Computer, Electrical, Electronics, Garments, Maths Drawing, Mechanical, Refrigeration and Airconditioning)
This are all regular posts.
For eligibility and other detailes please read official ad.
|
ITI Supervisor Instructor Class 3 Recruitment 2013
JEE , AIEEE, PMT
ગુજરાત બોર્ડ ના ધોરણ 10 અને 11,12 (Science) ના વિધાર્થીઓ ને સ્કૂલ, બોર્ડ અને JEE , AIEEE, PMT માં સફળતા મેળવવા માં ખુબજ ઉપયોગી Android અને Web application.
આ application વિનામૂલ્યે Google Play Store પરથી ડાઉનલોડ કરો અથવા fastmcq.com પર online આ સુવિધા નો ઉપયોગ વિદ્યાર્થી ઓ કરી શકે છે. ..
Teacher Edition Textbooks
હવે બોર્ડની પરીક્ષામાં સંવેદનશીલ કેન્દ્રો પર મોબાઈલ જામર લગાવાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો. ૧૨ની પરીક્ષામાં ગેરરિતીઓ અટકાવવા ખાસ કરીને સંવેદનશીલ કેન્દ્રો પર શિક્ષણ બોર્ડ જામર લગાવવાનો નિર્ણય લીધો છે. આગામી ૨૪ સપ્ટેબરથી શરૂ થતી વિજ્ઞાન પ્રવાહની પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં ફાળવવામાં આવનાર સંવેદનશીલ કેન્દ્રો પર બોર્ડ ઝામર લગાવી તેનો પ્રયોગ કરે તેવી શક્યતાઓ છે તેવુ બોર્ડના વિશ્વસનીય સુત્રોએ જણાવ્યુ છે.
- પરીક્ષામાં થતી ગેરરીતિઓ ડામવા શિક્ષણ બોર્ડનો નિર્ણય
ર્બોર્ડની પરીક્ષામાં જોડાયેલા સ્કવોર્ડના ૨૦૦ જેટલા અધિકારીઓને સ્પેશ્યલ તાલીમ અપાઇ છે. એક ટીમમાં ચાર અધિકારીઓનો સમાવેશ કરાયો છે.
અત્યારસુધી સંવેદનશીલ કેન્દ્રો પર શું સુવિધા હતી
રાજ્યમાં શિક્ષણ બોર્ડે ૧૦૦થી વધુ સંવેદનશીલ કેન્દ્રો જાહેર કર્યા
છે. જેમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ૧૨થી વધુ સંવેદનશીલ કેન્દ્રોનો
સમાવેશ થાય છે. આ તમામ સંવેદનશીલ કેન્દ્રો પર અત્યારસુધી સીસીટીવી કેમેરા
તેમજ વિડિયો રેકોર્ડીંગ કરાતુ હતુ. તેમ છતાં સામુહિક ચોરીઓ થતી હોવાની અનેક
ફરિયાદો બોર્ડને મળતી હતી. આમ હવે ચોરીઓ અટકાવવા તકેદારીના ભાગરૂપે
સંવેદનશીલ કેન્દ્રો પર બોર્ડે જામર લગાવવાનું નક્કી કર્યુ છે.
પરીક્ષા કેન્દ્રના તમામ વર્ગમાં જામર લગાવાશે
સંવેદનશીલ કેન્દ્રમાં જે વિદ્યાર્થીનો નંબર આવ્યો હશે તે
કેન્દ્રો પર ધારો કે ૧૦ વર્ગમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હશે. તો તમામ
વર્ગમાં જામર લગાવાશે. જેથી વિદ્યાર્થીઓ મોબાઇલ ફોન દ્વારા ચોરી કરવાનો
પ્રયાસ કરે તે નિષ્ફળ જશે.
મોબાઇલ ફોન પર કેવા પ્રકારની ચોરીઓ થતી હતી
હાલમાં વિવિધ મોબાઇલ કંપનીઓ સસ્તામાં હાઇ ટેકનોલોજીવાળા સ્માર્ટ
ફોન માર્કેટમાં મુક્યા છે. જેનો ગેરફાયદો પરીક્ષામાં ચોરી કરવા માટે
સ્માર્ટ વિદ્યાર્થીઓ કરે છે. મોબાઇલમાં મેસેજ દ્વારા, ખાનગીમાં વાતચીત કરી, જે
તે વિષયની પરીક્ષા હોય તેની આખા પેજ કે જવાબની એપ્લીકેશન ડાઉન લોડ કરી
ચોરી કરતા હોય છે. અગાઉ પરીક્ષામાં આ પ્રકારની ચોરીઓ કરતા વિદ્યાર્થીઓ
પકડાયા હોવાનું બહાર આવ્યુ છે.લઘુમતીઓની શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષક કેમ નહિ ? રાજ્યપાલ
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કરણીને કથનીમાં રહેલો તફાવતનો વધૂ એક જીવંત દાખલો બહાર આવ્યો છે. લોકાયુક્તની સાથે રાજ્યપાલ ડો. કમલા બેનિવાલે ગુજરાત રાજ્ય શાળા સેવા આયોગ વિધેયક- ૨૦૧૩ને સરકારને પુનઃવિચારણા માટે પરત મોકલ્યું છે. સાથે જ તેમણે સરકારની નિયત સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
- રાજ્યપાલે પરત મોકલેલા શાળા સેવા આયોગ વિધેયકમાં સવાલો કર્યા
- જાતિ, સંપ્રદાય, રંગભેદને આધારે કોઈને ઉત્તમ શિક્ષણથી દૂર ન રખાય
નવી સરકાર રચ્યાના ગણતરીના દિવસોમાં લાવવામાં આવેલુ શાળા સેવા આયોગ વિધેયકને ગત ફ્રેબુઆરી મહિનાના બજેટસત્રમાં ભાજપ સરકારે બહુમતીના જોરે મંજૂર કરીને રાજ્યપાલને મોકલ્યુ હતુ. રાજ્યપાલે ડો.કમલાએ તેનો અભ્યાસ કર્યા બાદ કેટલાક સુધારા સુચવ્યા છે.
તેમણે જણાવ્યુ છે કે, સરકારે આ વિધેયકથી ગ્રાન્ટબેલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને હેડમાસ્તરોની ભરતી માટે શાળા સેવા આયોગ રચવાનુ ધાર્યું છે. તેમ છતાંયે તેમાં લધૂમતી માલિકીના ટ્રસ્ટની અને સ્થાનિક સત્તામંડળોની શાળાઓને તેમાં સમાવી નથી. નોનગ્રાન્ટેબલ સ્કુલોને પણ મૂક્તિ આપી છે. માત્ર સાર્વજનિક કે ખાનગી ટ્ર્સ્ટની ૬૦૦૦ શાળામાંથી ૧૫૦૦ લધુમતી ટ્રસ્ટની માલિકી કે સંચાલનની છે.
જ્યારે ૧૦૦૦ શાળાઓમાં સ્થાનિક સત્તાંમંડળોની છે. આમ, આ આયોગ ૨૫૦૦ શાળાને લાગુ પડશે નહી. સરકાર જો શ્રેષ્ઠ શિક્ષણના ઉદ્દેશ્યથી આયોગ રચવાની હોય તો આવી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓનો વાંક શું ? જાતિ, સંપ્રદાય કે રંગના ભેદભાવને ધ્યાનમાં રાખ્યા વગર જનસેવાની ભાવનાથી સ્થપાયેલી સંસ્થાઓના વિદ્યાર્થીઓને પણ ગુણવત્તાભર્યા શિક્ષણનો અધિકાર છે.રાજ્યપાલે સુપ્રિમકોર્ટના ચૂકાદાઓને ટાંકીને ઉપરોક્ત વિધેયકમા સુધારા કરવા સુચવ્યુ છે. ત્રણ દિવસના ટૂંકા ચોમાસા સત્રમાં વિપક્ષની ગેરહાજરી વચ્ચે વિધાનસભામાં ભાજપ સરકાર તેને બહુમતીના જોરે પુનઃપસાર કરાવશે. સંકલન:સંદેશન્યુઝ પેપર
ધો.૧૦ના ઓનલાઈન ફોર્મ અંગે અસ્પષ્ટતા, આચાર્યોને મૂંઝવણ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ઓનલાઈન ફોર્મ ભરવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધો-૧૦ના ઓનલાઈન ફોર્મ ભરવા સંદર્ભે શાળાઓના આચાર્યો વેબસાઈટ મારફત શિક્ષણ બોર્ડે આગામી તા.૮ના તાલિમ આયોજન કર્યુ છે. પરંતુ આ વેબસાઈટના નામ અંગે આચાર્યોને હજુ સુધી કોઈ જ સૂચના જારી કરવામાં આવતી નથી. બાયસેગ મારફત પણ તાલિમ આપવાનું ચર્ચાઈ રહ્યુ છે. હમેશા મેન્યુઅલી કામમા માસ્ટર આચાર્યો વેબસાઈટ મારફત કઈ રીત ઓનલાઈન ફોર્મ ભરવાનુ શીખી શખશે..? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.
દરમિયાન શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ ૮ના ઓનલાઈન ફોર્મ ભરવા સંદર્ભે સવારના સેશનમાં ધો-૧૦ની શાળાના આચાર્યોને અને બપોરના સમયે ધોરણ -૧૨ની શાળાના આચાર્યોને તાલિમ આપીને સજ્જ કરવામા આવશે. તેમ સુત્રોએ જણાવ્યુ હતું.આ તાલિમ યોજાઈ ગયા બાદ આગળની કામગીરી શરૂ થશે.
વિદ્યાર્થીઓ સ્કોલરશિપની ૧૬મી સુધી અરજી કરી શકશે
ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા 'સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશિપ ફોર કોલેજ એન્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ ' સ્કોલરશિપ
યોજના અંતર્ગત કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજી
મગાવવામાં આવી હતી. અરજી સ્વીકારવાની છેલ્લી ૯મી હતી તે ૧૬મી ઓક્ટોબર સુધી
લંબાવવામાં આવી છે.' આ ઓનલાઈન અરજી વિદ્યાર્થીઓ www.scholarship.gujarat.gov.in વેબસાઈટ પર જઈને કરી શકશે.
શાળાઓએ ડાયસ ફોર્મમાં હવે તમામ વિગતો જાહેર કરવી પડશે
શાળાઓએ ડાયસ ફોર્મમાં હવે તમામ વિગતો જાહેર કરવી પડશે
- પ્રાથમિક, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓની વિગતો એકત્ર કરાશે
- ૧પમી સુધી ડાયસ ફોર્મ ભરવું ફરજિયાત
- ૧પમી સુધી ડાયસ ફોર્મ ભરવું ફરજિયાત
રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળાઓની કામગીરી પારદર્શક બને એ હેતુસર સર્વ શિક્ષા અભિયાન મારફતે ડાયસ ફોર્મ મુજબ શાળાઓની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ ફરજીયાતપણે ડાયસ ફોર્મમાં પોતાની વિગતો જાહેર કરવાની રહેશે અને મોડામાં મોડુ ૧પમી ઓક્ટોબર સુધી ફોર્મ ભરવાનું રહેશે.
શિક્ષણના અધિકાર રાઇટ ટુ એજ્યુકેશન અધિનિયમ ૨૦૦૯ની કલમ ૧૨ તથા ગુજરાત રાઇટ ટુ એજ્યુકેશન રૂલ્સ અનુસાર દરેક શાળાઓએ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ભૌતિક સુવિધા સહિતની માહિતી આપવી ફરજીયાત છે.
પ્રાથમિક,
માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓએ ૩૦મી સપ્ટેમ્બરની સ્થિતિએ શાળામાં
વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતની તમામ વિગતો ડાયસ ફોર્મમાં જાહેર કરવાની
રહેશે. દરેક શાળાઓએ આ ફોર્મ ૧પમી ઓક્ટોબર સુધી ભરીને સીઆરસી અથવા બીઆરસીને
પહોંચાડવાનું રહેશે એવી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાકીદ કરવામાં આવી
છે.
- માન્યતા રદ સુધીના પગલાં ભરાશે
રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત તમામ શાળાઓએ ડાયસ ફોર્મ ભરવું ફરજીયાત છે. શાળાઓએ પોતાની સાચી વિગતો જણાવવાની રહેશે. આમ છતાં જો શાળા દ્વારા ડાયસ ફોર્મ ભરવાની ગંભીરતા નહીં લેવાય તો માન્યતા રદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે એવું શિક્ષણ કચેરી સુત્રોએ જણાવ્યું હતું.
- કેવી વિગતો જાહેર કરવી પડશે?સર્વ
શિક્ષા અભિયાન અંતર્ગત ડાયસ ફોર્મમાં શાળાઓએ શાળાકીય વિગતો, શાળાનું
માધ્યમ, ભૌતિક સુવિધાઓ અને સાધનો, શાળાનું મહેકમ, વિદ્યાર્થીઓ, શાળાની
માન્યતા, શાળાનું સંચાલન સહિત વિવિધ માહિતી જાહેર કરવાની રહે.
હવે સ્માર્ટફોન કરશે ભૂકંપની આગાહી
સંશોધકોએ શોધી છે એવી ચિપ જે ધરતીના પેટાળમાં થતી હલચલને માપશે
ભૂકંપના એપી સેન્ટર વિશે પણ કરશે માહિતગાર
વોશિંગ્ટન, તા. પ ઓક્ટોબર
સ્માર્ટફોન વાતચિત કરવા ઉપરાંત પણ ઘણી બધી બાબતોમાં કામ લાગે છે. હવે તેની કામગીરીમાં એક બાબતનો ઉમેરો થયો છે. હવેથી બજારમાં ઉપલબ્ધ બનનારા સ્માર્ટફોનમાં ભૂકંપને ઓળખી શકવાની ક્ષમતા ઉમેરાશે.
સંશોધકોએ એક એવી ચિપ શોધી છે જે ધરતીના પેટાળમાં થતી હલચલને માપીને આપણને માહિતગાર કરશે. આ ચિપના સેન્સર એટલા શક્તિશાળી હશે કે હળવા આંચકાને પણ માપી લેશે. આ નવી ટેક્નોલોજી યુઝર્સને એ વાતથી પણ વાકેફ કરશે કે ભૂકંપનું એ.પી. સેન્ટર ક્યાં છે અને ક્યો વિસ્તાર વધુ પ્રભાવિત થયો છે. જ્યાં ભૂકંપ વારંવાર થતો હોય છે એવા વિસ્તારમાં આ ટેકનોલોજી મદદરૃપ બની શકશે.
ઓક્ટોબર માસમાં રેગ્યુલર તથા રીપીટર વિદ્યાર્થીઓના ધોરણ ૧૦ ના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાના છે. ઓનલાઈન પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કેબી કે તેનાથી ઓછી સાઈઝમાંઅપલોડ કરવાની છે. આ માટે કામમાં સરળતા રહે તે માટે નીચે મુજબના પગલાને અનુસરશો તો ફોટા તથા સહી સ્કેન કરી ૨૦ કેબી થી નીચેની સાઈઝ કરવામાં સરળતા રહેશે.
પગલું - 1 સૌ પ્રથમ અહી નીચે એટેચ કરેલ એક્સેલ શીટ ખોલી ફોટા તથા સહીના પેઈઝની પ્રિંટ કરો.
પગલું - 2 ફોટાના પેઈઝ ઉપર ફોટાઓ તથા સહીના પેઈઝ ઉપર કાળી પેનથી વિદ્યાર્થીઓની સહી કરાવો.
પગલું - 3 ફોટા તથા સહીના નમુનાના પેઈઝ સ્કેન કરો. એક કાગળ ઉપર ૨૦ ફોટા ફેવીસ્ટીક કે સામાન્ય ગુંદરથી ચોટાડો.ત્યારબાદ તે કાગળ સ્કેન કરો. એટલેકે એક કાગળ સ્કેન કરવાથી એક સાથે ૨૦ ફોટા કમ્પ્યૂટરમાં સ્કેન થશે. બીજા કાગળ ઉપર બીજા ૨૦ ફોટા ચોટાડી સ્કેન કરવા. વર્ગમાં ૬૦ વિદ્યાર્થીઓ હશે તો ત્રણ કાગળમાં બધાજ ફોટા આવી જશે. આનાથી ફાયદો એ થશે કે ૬૦ વખત ફોટા સ્કેન કરવા નહિ પડે. આજ રીતે એક સાથે ૩૦ થી ૩૫ સહી સ્કેન થશે.બે જ કાગળમાં આખા વર્ગની સહી સ્કેન થઈ જશે.
પગલું - 4 હવે સ્કેન કરેલ ફોટાવાળી ફાઈલ ઓપન કરો. તેના પર રાઈટ ક્લીક કરો અને ઓપન વીથ પેઈંટ પર ક્લીક કરો જેથી તે સ્કેન કરેલ પેઈઝ પેઈંટમાં ખુલશે. જે ફોટો કોપી કરવો છે તે ફોટાને ડાબી બાજુના ટુલ બોક્ષમાં રહેલા બીજા નંબરના સિલેક્શન ટુલ વડે સિલેક્ટ કરો. અને સિલેક્શનની અંદર રહી રાઈટ ક્લીક વડે કોપી કરો.
પગલું - 5 ફોટાની કોપી કર્યા બાદ સ્ટાર્ટ - પ્રોગ્રામ માં જઈ અન્ય પેઈંટની ફાઈલ ખોલો અને તેમાં એડીટ મેનુમાં જઈ પેસ્ટ કરો. અહિ ફોટાને ડ્રેગ કરી નાનો મોટો કરી શકાશે.
પગલું - 6 હવે ફાઈલ મેનુમાં જઈ સેવએઝ પર ક્લીક કરો અને ફાઈલના નામમાં રોલનંબર પ્રમાણે નંબર આપી File as Type માં JPEG ખાસ કરો અને ઓકે કરો. JPEG કરવાથીજ ફોટાની સાઈઝ ઘટશે. JPEG કરવાનું ભૂલવું નહિ.
પગલું - 7 હવે બીજો ફોટો ૨૦ કેબીથી નાનો બનાવવા અગાઉના જેમ પગલા - 5 અને 6 ને અનુસરો. આ રીતે કામ કરવાથી લગભગ ૧ કલાકમાં આરામથી ૭૦ થી ૮૦ ફોટાઓ ૨૦ કેબીથી નાની સાઈઝના બનાવી શકાય છે. સહી માટે પણ ઉપરના પગલા અનુસરો.
Subscribe to:
Posts (Atom)