ધો. ૧૨ સાયન્સનું પરિણામ મેના ત્રીજા સપ્તાહમાં

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બો‌ર્ડ‌ દ્વારા લેવાયેલી ધો. ૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ તા. ૧૮થી૨પ મે દરમિયાન જાહેર થાય તેવી શકયતા સત્તાવાર સૂત્રોએ વ્યકત કરી છે. જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ તા.૨૭થી૨૮ મે વચ્ચે જાહેર થશે. ધો. ૧૦નું પરિણામ તા.૩૦ મે આસપાસ જાહેર કરાઇ તેવી શકયતા છે.
તમામ પરિણામ ઓનલાઇન જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે આજે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં આજે કમ્પ્યૂટર પરિચય વિષયનું પ્રશ્નપત્ર હતું. આ પ્રશ્નપત્રમાં પ્રિન્ટિંગ મિસ્ટેક સિવાય કોઇ મહત્ત્વની ભૂલ હતી નહીં. પ્રશ્નપત્ર એકંદરે સરળ હતું.                                                                 Source:Divyabhaskar

Capacity અને Capability

અંગ્રેજીમાં બે શબ્દો છે. Capacity અને Capability – ક્ષમતા અને ક્ષમતાનો ઉપયોગ કરવાની આવડત. Capacity એટલે Physical Space in a Vessel to contain something (liquid, solid or gas). Capability એટલે ability to use capacity પાણીની ટાંકીની નિશ્ચિત Capacity (ક્ષમતા) હોય. અમુક લિટર પાણી જ સમાય. એવું જ અનાજની કોઠીનું કે ગેસ સિલિન્ડરનું. પણ માણસની Capacity કેટલી ? એ કેટલી ઝડપે દોડી શકે ? કેટલા કલાક કામ કરી શકે ? કેટલી ઝડપથી કેટલું શીખી શકે ? આનું કોઈ માપ, કોઈ હદ ખરી ? આપણને ખબર છે કે ગાંધીજી, રામકૃષ્ણદેવ, મિલ્ખાસીંગ, સચીન તેંડુલકર, બટ્રાન્ડ રસેલ, ટાગોર, આઈન્સટાઈન….. આ બધા વ્યક્તિવિશેષોમાં માણસ તરીકેના એ જ તત્વો છે/હતા જે આપણા બધામાં છે. તેમ છતાં આપણે વ્યક્તિ છીએ. એ ‘વ્યક્તિવિશેષ’ છે. આ વિશેષતા Capability – ગુણવત્તાની છે. માણસની ક્ષમતા અગાધ છે. એ ધારે એટલી પોતાની ક્ષમતા વધારી શકે છે. આથી માણસનું માપ સ્થૂળ પદાર્થોની માફક Capacity માં નહીં પણ Capability માં જાણવું પડે. (‘વિચારવલોણું’માંથી સાભાર.)   Source

નિર્ણયશકિત

એકવખત સમ્રાટ નેપોલિયન ઘોડેસવારી કરીને તેનાં લશ્કરની ટૂકડીની તાલિમ જોવા ગયો.

એવામાં ઘોડો એકાએક ભડક્યો અને ઘોડાનાં કાબૂમાં લેવાનાં નેપોલિયનનાં કોઇ પ્રયત્નો સફળ ન થયા. ત્યાં જ એક સૈનિકે ઘોડાની લગામ પકડીને ઘોડાને મહામુશ્કેલીથી કાબૂમાં લીધો.
નેપોલિયને સૈનિકનો આભાર માનતા કહ્યુ, ‘Thank You, Caption.’
સૈનિક ચતુર હતો. એ નેપોલિયનનો એક સામાન્ય સૈનિક હતો, પણ હાથમાં આવેલો મોકો તે જવા દેવા માંગતો ન હતો. તેણે તરત જ નેપોલિયનને કહ્યું, ‘કઇ ટૂકડીનો?’
નેપોલિયન તેનો તર્ક સમજી ગયો અને તેની ચતુરાઇ ઉપર ખુશ થતાં કહ્યું, ‘મારી અંગરક્ષક ટૂકડીનો.’
અને આ રીતે એ સામાન્ય સૈનિકને તેની ત્વરિત બુધ્ધિશક્તિથી મહત્વનો હોદો મળી ગયો.

Note For SSC 2014 Online Internal Marks and Practical Marks Capturing


રોજગાર યુવાનોને MSM અને E-MAIL થી રોજગારીની માહિતી મોકલાશે

ગાંધીનગર જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને રોજગારની વિગતો હવે ઇમેઇલ અને એસએમએસ દ્વારા મળી રહેશે. રાય્જની રોજગાર અને તાલીમની કચેરી દ્વારા આ માટે એક અદ્યતન વેબ એનેબલ્ડ જોબ પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. આ પોર્ટલ મારફત રોજગારીની લેટેસ્ટ વિગતો હવે રોજગારવાંચ્છુઓને ઘેરબેઠા મળી રહેશે. જોકે, આ સુવિધા માત્ર રોજગાર કચેરીમાં નોંધાયેલા નોકરીવાંચ્છુઓ પુરતી જ મર્યાદિત રહેશે. આ માટે તેઓને કચેરીમાં ઇમેઇલ અને મોબાઇલ નંબર નોંધાવવા પડશે.
  • રાજ્યની રોજગાર કચેરી દ્વારા તૈયાર થઇ રહેલું અદ્યતન વેબ એનેબલ્ડ જોબ પોર્ટલ
રાજ્યના રોજગાર અને તાલીમની કચેરી દ્વારા રોજગારવાંચ્છુ યુવાનોને નોકરીદાતાની સરળતાથી સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે અદ્યતન ટેકનોલોજીનો સહારો લેવાનું નક્કી કર્યુ છે. પ્રાપ્ત વિગતો મુજબ, આ માટે એક અદ્યતન વેબ એનેબલ્ડ જોબ પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. આ પોર્ટલ મારફત રોજગારવાંચ્છુ યુવાનોને રોજગારીની વિગતોની જાણકારી પોર્ટલના માધ્યમથી ઇ-મેલ અને એસ.એમ.એસથી આપવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, અત્યાર સુધી નોકરીદાતાઓને રોજગાર કચેરીમાં નોંધાયેલા રોજગારવાંચ્છુ યુવાનોના લીસ્ટ માટે રોજગાર કચેરી પાસેથી વિગતો મેળવી યોગ્ય યુવાનોની પસંદગી કરવી પડતી હતી. પરંતુ હવે આ પોર્ટલના માધ્યમથી નોકરીદાતા પણ ઓનલાઇન રોજગારવાંચ્છુ યુવાનોની વિગતો પ્રાપ્ત કરી શકશે. ઉપરાંત નોકરીદાતાની માંગણી પ્રમાણે રોજગારવાંચ્છુઓને એસ.એમ.એસ અને ઇ-મેલ દ્વારા વિગતો પણ મોકલી શકાશે. જોકે, આ માટે નોકરીવાંચ્છુઓએ રોજગાર કચેરીમાં નામની નોંધણી કરાવવી પડશે. આ પોર્ટલ ટુંક સમયમાંજ શરૂ કરવામાં આવશે.
જિલ્લા રોજગાર કચેરી દ્વારા નોંધાયેલા રોજગારવાંચ્છુઓને વહેલી તકે પોતાના ઇ-મેલ એડ્રેસ અને મોબાઇલ નંબરની નોંધણી કચેરીમાં કરાવવાની રહેશે. આ સાથે તેઓને માહિતીમાં પોતાનું પુરૂ નામ, નોંધણી નંબર અને જન્મ તારીખ પણ જણાવવાની રહેશે. ઉલ્લેખનીય છેકે, જિલ્લામાં જાન્યુઆરી સુધીમાં ૨૨ હજાર જેટલા નોકરીવાંચ્છુઓએ રોજગાર કચેરીમાં નોંધણી કરાવી છે. આ તમામને મોબાઇલ અને ઇ-મેઇલ નંબરની નોંધણી કરાવ્યા બાદ વેબ એનેબલ્ડ જોબ પોર્ટલ મારફત ઘરે બેઠા રોજગારીની વિગતો પ્રાપ્ત થશે. 
                           Sorure:Sandesh News Paper

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા ૨૭ એપ્રિલે લેવાનો વિધિવત નિર્ણય કરાયો

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા
ગુજકેટની પરીક્ષા ૨૭ એપ્રિલે લેવાનો વિધિવત નિર્ણય કરાયો

૨૫ માર્ચથી ૭ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે : ગુજકેટ પરીક્ષાને લઇ લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત : રાજ્‍યના ૩૩ જિલ્લાઓ સહિત ૩૪ કેન્‍દ્રોથી પરીક્ષા

           અમદાવાદ, તા.૨૮,ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મેડીકલ અને પેરામેડીકલ અભ્‍યાસક્રમમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષા ૨૭ એપ્રિલે લેવાની જાહેરાત કરી છે. આ પરીક્ષા રાજ્‍યભરના ૩૩ જિલ્લાઓ સહીત કુલ ૩૪ કેન્‍દ્રો ખાતેથી લેવામાં આવશે. આ સાથે જ ગુજકેટની પરીક્ષાને લઈ લાંબા ગાળાથી ચાલતી અટકળોનો અંત આવ્‍યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ઉચ્‍ચતર માધ્‍યમિક વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મેડિકલ અને પેરા મેડિકલ અભ્‍યાસક્રમમાં પ્રવેશ મેળવવા ચાલુ વર્ષે કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ લેવાનું રાજ્‍ય સરકારના આરોગ્‍ય મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવ્‍યું હતું. આરોગ્‍ય મંત્‍લાયે આ પરીક્ષા લેવા માટે રાજ્‍યના શિક્ષણ બોર્ડને સુચના આપતા શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષા ૨૭મી એપ્રિલે લેવાતી સત્તાવાર જાહેરાત કરી છે. આ પરીક્ષા રાજ્‍યના ૩૩ જિલ્લાના મુખ્‍ય મથકો સહિત કુલ ૩૪ સ્‍થળોએથી લેવાનું બોર્ડ દ્વારા ગોઠવવામાં આવ્‍યું છે. પરંતુ રાજ્‍ય નવરચિત જિલ્લાઓમાં પરીક્ષા આપતા ઉમેદવારોની સંખ્‍યા ૧૦૦ કરતા ઓછી હશે તો મુળ જિલ્લામાં બેઠક વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવશે. ગુજકેટની પરીક્ષા માટેની માહિતી પુસ્‍તિકા અને યુઝર આઈડીનું વિતરણ રાજ્‍યના ૪૨ કેન્‍દ્રો પરથી તારીખ ૨૫ અને ૨૬ માર્ચના રોજ કરવામાં આવશે. જ્‍યારે ઉમેદવારો તારીખ ૨૫ માર્ચથી ૭ એપ્રિલ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ પરીક્ષામાં ગુજરાત બોર્ડના વિજ્ઞાન પ્રવાહના સેમેસ્‍ટર ૩ અને ૪ના અભ્‍યાસક્રમ આધારીત ૧૨૦ બહુવિક્‍લપીય પ્રશ્‍નો ધરાવતું પ્રશ્‍નપત્ર ઓએમઆર પદ્ધતિ ભરવાનું રહેશે. જેમાં ૪૦ માર્કસ ફિજીક્‍સ, ૪૦ માર્ક કેમેસ્‍ટ્રી અને અન્‍ય ૪૦ માર્કસ મેથ્‍સ અથવા બાયોલોજીના પ્રશ્‍નોના હશે. ઉલ્લેખનીય છે કે ધોરણ-૧૨ સાયન્‍સ પછી મેડીકલ અને પેરામેડીકલ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ ગુજકેટની પરીક્ષાના ૪૦ ટકા અને ધોરણ-૧૨ સાયન્‍સની પરીક્ષાના ૬૦ ટકા વોલટેજના આધારે ફાળવવામાં આવશે.
Source:Akila News