બજેટ અને તેના પછી ચર્ચાતી ટેક્સેશનની સાદી સમજ

ટેક્સ કઈ રીતે ચુકવાય છે, એની પાછળનું રેશનલ શું? જો એ ઘટાડવામાં આવે તો કોને વધુ ફાયદો? એ સમજવા નીચેની નાની ઉદાહરણ વાર્તા સમજવી રહી.

દસ મિત્રો રોજ રાત્રે સાથે જમવા જાય. અને સંયુક્ત બીલ (દસ જણાનું) ૧૦૦ રૂપીયા આવે. (દાખલો ગણવા સહેલું પડે એટલે)

દરેકની આર્થીક સ્થિતિ થોડી અલગ અલગ એટલે અરસપરસ નક્કી કરી નીચે મુજબ વ્યવસ્થા ગોઠવેલી.

પ્રથમ ચાર વ્યક્તિ સહુથી ગરીબ. એટલે એમને કશું જ ચુકવવાનું નહી. તદ્દન મફત.

પાંચમો વ્યક્તિ ૧ રૂપીયો ચુકવે.

છઠ્ઠો વ્યક્તિ ૩ રૂપીયા ચુકવે

સાતમો વ્યક્તિ ૭ રૂપીયા ચુક્વે

આઠમો વ્યક્તિ ૧૨ રૂપીયા ચુકવે

નવમો વ્યક્તિ ૧૮ રૂપીયા અને

દસમો જે સહુથી ધનીક છે તે ૫૯ રૂપીયા ચુકવે - આમ પુરા સો થાય અને તમામ લોકો આ વ્યસ્થાથી સંતુષ્ટ હતા.

થોડા સમય પછી એ રેસ્ટોરન્ટના માલીકે ખુશખબર આપી કે આપ સર્વેનો વ્યવહાર અને નિયમિત ગ્રાહક તરીકેની વફાદારીને ધ્યાનમાં રાખતાં ૧૦૦ ના બદલે ૮૦ રૂપીયા બીલ થશે. અને આપ દસ લોકો એજ રીતે નિયમિત ભોજન માણી શક્શો.

બધા ખુશ થયા. અને એ જે ૨૦ બચ્યા એ કેમ વહેંચવા? એ ચર્ચા શરૂ કરી.

પછી નક્કી થયું કે જે ચુકવે છે તેને પ્રપોર્શનમાં ફાયદો આપવો. અને ૨૦/૬ = ૩.૩૩ કરી શકાય, અને બીજો ઓપ્શન એ છે કે જેમ આપ ચુકવો છો એ જ પ્રપોર્શનમાં આપને લાભ કરી આપું.

એ વર્કીંગ કંઈક આ પ્રમાણે થયું.

પ્રથમ ચાર સાથે પાંચમાને પણ મફત ભોજન મળશે

છઠ્ઠાને હવે ૩ રૂપીયાને બદલે ૨ રૂપીયા ચુકવવાના (એટલે ૩૩% બચત)

સાતમાને હવે ૭ રૂપીયાને બદલે ૫ રૂપીયા ચુકવવાના (એટલે ૨૮% બચત)

આઠમાને હવે ૧૨ રૂપીયાને બદલે ૯ રૂપીયા ચુકવવાના (એટલે ૨૫% બચત)

નવમાને હવે ૧૮ રૂપીયાને બદલે ૧૪ રૂપીયા ચુકવવાના (એટલે ૨૨% બચત)

અને દસમાને હવે ૫૯ રૂપીયાને બદલે ૪૯ રૂપીયા ચુકવવાના (એટલે ૧૬% બચત)

દરેક લોકો પહેલાં કરતાં સારી સ્થિતિમાં હતા.

અને

જમતાં જમતાં છઠ્ઠો વ્યક્તિ કહે કે મને તો આ બચતના વીસમાંથી એક જ રૂપીયાનો લાભ થયો. આ અન્યાય છે. અનર્થ છે. તો તરત જ પાંચમો અને સાતમો પણ ટહુક્યા, કે બરાબર જ છે હડહડતો અન્યાય કહેવાય, વહેંચણી બરાબર નથી જ. આ દસમો વીના કારણે બચતના ૫૦% લઈ જાય છે.

નવમો કહે કે બરાબર જ છે, મને જ્યારે ચાર જ રૂપીયા બચતના મળે છે ત્યારે એને તો પુરા ૧૦ મળે છે. ગેરવ્યાજબી વહેંચણી છે.

ત્યાં તો (મફતનું જમતા) પહેલા ચાર બરાડી ઉઠ્યા, અમને તો કોઇ જ લાભ નહી? અમારૂં તો હંમેશા શોષણ જ થતું આવ્યું છે અને રહેતું હોય છે. બદમાશી તો આ ધનીક લોકોની જ કાયમની હોય છે.

અને એ નવ લોકો ઉશ્કેરાઈને એ દસમા વ્યક્તિને ઘેરી વળ્યા અને દે ધનાધન માર્યો. ખુબ ઘાયલ કરી ધમકી આપીને કાઢી મુક્યો.

બીજા દિવસની સાંજે ફરી એક વખત બધા જમવા ભેગા થયા, પણ એ દસમો વ્યક્તિ ત્યાં હાજર ન હતો.

હવે એ નવ લોકો એ એમના તમામ પ્રયત્નોથી ભંડોળ એકત્ર કરી તપાસ કરી તો ખબર પડી કે આજે તો કોઇ જ નહી જમી શકે. અને આખું તો છોડો, અડધી વ્યવસ્થા પણ શક્ય ન બની.

અને તે દિવસથી રોજ તમામ ભુખ્યા પાછા ફરતા રહ્યા..

સાર એ છે કે સહુથી વધુ ટેક્સ ભરે છે તેને રીડક્શન દરમ્યાન પણ લાભ એ જ પ્રપોર્શનમાં મળે છે. કારણ કે એ એની આવકના પ્રમાણમાં ટેક્સ પણ વધુ ભરતો હોય છે. જેની આવક વધુ છે તે તો બીજે પણ ગમ્મે ત્યાં મનભાવતું જમી શક્શે. દેશમાં અને નહીતર દેશ બહાર કે જ્યાં સાનુકુળ વાતાવરણ છે, જ્યાં તક મળે ત્યાં.

કથાબીજ

જે આ વાંચીને સમજી શકે છે તેમને ખુલાસાની કે સમજાવવાની જરૂર નથી.
અને
જે નથી સમજી શક્તા એમના માટે સમજાવવું અશક્ય છે.

No comments:

Post a Comment

Welcome