Tech Education: AIEEEમાં પેપર લીકની ઘટના અટકાવવા પેપર સવારે મોકલાશે

AIEEEમાં પેપર લીકની ઘટના અટકાવવા પેપર સવારે મોકલાશે


ઓલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એકઝામ (એઆઇઇઇઇ)ની પરીક્ષામાં ગતવર્ષે થયેલી પેપર લીકની ઘટના બાદ ચાલુ વર્ષે તેનું પુનરાવર્તન ન થાય તે માટે સીબીએસઇ બોર્ડ દ્વારા પરીક્ષાના દિવસે સવારે જ સેન્ટરો પર પેપર મોકલવાનું નક્કી કર્યું છે.
ગતવર્ષે એઆઇઇઇઇની પરીક્ષા વખતે પેપર લીકની ઘટના બની હતી. જેના પગલે કેટલાક સેન્ટરો પર પુન: પરીક્ષા યોજવાની ફરજ પડી હતી. અમદાવાદમાં પણ એક સેન્ટર પર પુન: પરીક્ષા યોજાઇ હતી. જોકે આ વખતે પેપર લીકની ઘટના ન બને તે માટે સીબીએસઇ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે બોર્ડ દ્વારા પરીક્ષા હોય તે દિવસે સવારે જ સેન્ટરો પર પેપર મોકલવામાં આવશે. જેથી પેપર લીકની ઘટના અટકાવી શકાય.

No comments:

Post a Comment

Welcome