-ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં માત્ર 92 વિદ્યાર્થીઓ જ
-અમદાવાદ શહેરનાં 25 વિદ્યાર્થીઓ સાથે રાજ્યમાં પ્રથમક્રમે
A-1 ગ્રેડમાં સમગ્ર ગુજરાતમાંથી માત્ર 92 વિદ્યાર્થીઓ ધોરણ-12 સામાન્ય પ્રવાહનાં સોમવારે જાહેર થયેલા પરિણામમાં પાસ થયા છે તેમાં પણ પાટનગર ગાંધીનગર અને વડોદરા જિલ્લાનો એકપણ વિદ્યાર્થીનો સમાવેશ A-1 ગ્રેડમાં થયો નથી.
જ્યારે ગત વર્ષે આ A-1 ગ્રેડમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 107ની હતી. આ વર્ષે જાહેર થયેલા પરિણામમાં A-1 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અમદાવાદનાં શહેરના છે, જેઓની સંખ્યા 25ની છે. જ્યારે અમદાવાદ રૂરલમાં 7 વિદ્યાર્થીઓ છે. અમદાવાદ શહેરનું સરેરાશ પરિણામ 64.21 ટકા આવ્યું છે અને અમદાવાદ જિલ્લાનું પરિણામ 61.85 ટકા આવ્યું છે.
A-1 ગ્રેડમાં પાસ થયેલા વિદ્યાર્થીઓમાં અમદાવાદ શહેર પછી રાજકોટનાં 23 અને સુરતનાં 15 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
જિલ્લાવાર A-1 ગ્રેડમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા આ મુજબ છે.
અમદાવાદ શહેર 25
અમદાવાદ રૂરલ 7
અમરેલી 0
કચ્છ 1
ખેડા 1
જામનગર 2
જૂનાગઢ 7
ડાંગ 0
પંચમહાલ 0
બનાસકાંઠા 0
ભરૂચ 1
ભાવનગર 5
મહેસાણા 0
રાજકોટ 23
વડોદરા 0
વલસાડ 0
સાબરકાંઠા 1
સુરત 15
સુરેન્દ્રનગર 2
દીવ 0
આણંદ 0
પાટણ 0
નવસારી 1
દાહોદ 1
પોરબંદર 0
નર્મદા 0
ગાંધીનગર 0
તાપી 0
સંકલન:ગુજરાત સમાચાર